બંધ બારણાં – કોઈ આવશે તો? – નયનેશ વોરા
સંપૂર્ણ રીતે અપૂર્ણ
શ્રેષ્ઠ અવાજ ધરાવતા પક્ષીઓ જ ગાતા હોત તો વન માં કેટલી ભયાનક શાંતિ હોત? દરેક પક્ષી ગાય છે, કેમ કે દરેક પક્ષી પાસે એક ગીત છે અને દરેક પક્ષી ની એક અલગ શૈલી છે. પરોઢ થતા ની સાથે આ પક્ષીઓ પોતાના કલરવ થી જયારે આપણ ને જગાડે છે ત્યારે આપણે એ કલરવ ને મુલવતાં નથી – બસ, એને માણીએ છીએ.
એ મારું ઘર છે
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
અ માર્ગ પછી ની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે!
– હરીન્દ્ર દવે
– – – – –
ઘર એટલે ચાર દીવાલ
ઘર એટલે ચાર દિ’ વ્હાલ
– – – – –
સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક કમરા કમ હૈ!
હું એક જ છું.
જીવન ના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
અ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ના હોય શકે
પણ એનો દ્વિતિય નથી,
એના અંગુઠા ની છાપ, એના અક્ષરો નો મરોડ,
એના અવાજ ની ગહરાઈ, એના ચહેરા ની રેખાઓ,
એના અનુભવ નો ગ્રાફ ,
એના ભૂતકાળ ના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દીલસંબંધો,
એનું પતિત્વ, પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈ ને
એક એવા બિંદુ પર આવી ને ઉભા રહી જાય છે
જયારે કહી શકે છે:
એકો અહં, દ્વિતીયો નાસ્તિ…
ન ભૂતો ન ભવિષ્યતિ …
હું એક જ છું.
મારા જેવો બીજો નથી.
ઈગો – ચંદ્રકાંત બક્ષી માં થી સાભાર
પ્રોએક્ટીવ/રીએક્ટીવ જીવન
કાં તો આપણે આપણા અસ્તિત્વ ના કેન્દ્રબિંદુ માં થી જીવીએ છીએ, કાં તો લોકો જીવાડે એક જીવીએ. પ્રથમ ને અંગ્રેજી માં કહે છે પ્રોએક્ટીવ, બીજા ને રીએક્ટીવ. અધ્યાત્મ ની ભાષા માં કહીએ તો અધર ઓરિયેન્ટેડ. પ્રથમ છે દીવો, બીજું છે અરીસો. દીવો સ્વયં પ્રકાશે, રેડીયેટ કરે – એની રોશની કોઈ પર અવલંબિત નથી. જયારે અરીસો તો સામે આવે છે એને દર્શાવે, રીફ્લેકટ કરે, એની પોતાની પાસે સ્વયં નું કોઈ અજવાળું નથી.
– Small સત્ય, મુકેશ મોદી, દિવ્ય ભાસ્કર ૧૧/૦૧
વિવેકાનંદ વિચાર
જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ? – સ્વામી વિવેકાનંદ
ભગવાનની ટપાલ – ગુણવંત શાહ
આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે.
વધુ વાંચો: રીડ ગુજરાતી પર (અને હા, “ભગવાન ની ટપાલ” પુસ્તકે વાંચવા નું ચૂકતા નહીં! )
હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.
શિયાળા ની એ ઠંડી રાત્રે
રસ્તા ની કોર પર
ધ્રુજતી એક વૃદ્ધ સ્ત્રી
પસાર થતા લોકો પાસે
મદદ માંગી રહી હતી.
ગાડીઓ માં પસાર થતા લોકો
પોતાના માં એટલા વ્યસ્ત હતા
કે તેમને જોવા સુદ્ધાં ની ફુરસત ન હતી.
પસાર થતા એક સજ્જન
અચાનક રોકાયા અને ૫૦ રૂપિયા આપ્યા
પછી થોડી વાર માં એક ચાદર અને ગોદડું પણ આપી ગયા.
વૃદ્ધા ને હુંફ આપી, એ સજ્જને હુંફ મેળવી.
લોકો માને છે કે મેળવી લેવું એ જીવન છે
પણ હકીકત એ છે વિના સ્વાર્થે આપવું
અને આપી ને મેળવવું, એ જીવન છે.
શૂન્ય પાલનપુરી એ સાચું જ કહ્યું છે –
થીજવી દે હાડ એવી આફતો ની ટાઢ માં,
હુંફ દેવા બીજા ને, જે ધગધગે એ જિંદગી.
– – – – –
– તન્મય વોરા (લખ્યા તા: ૨૮-ડીસેમ્બર-૨૦૧૧)
આજ સંદર્ભ માં ૨૦૦૯ માં મારા બ્લોગ “QAspire.com” પર લખેલ પોસ્ટ “Giving is Growing – Generosity and Leadership”
ઘર વિષે – નયનેશ વોરા
“ઘર એટલે હુંફ અને હાશ,
બેફામ મોક્ળાશ – જાણે ખુલ્લું આકાશ!”
ઘર એટલે શહેર માં અદ્યતન બંગલો કે ફ્લેટ. આજે પણ આ ગામડા ગામ માં ઘર ને ખોરડાં જ કહેવાય છે. એમાં વસતા દરેક જણ ના દિલ પણ વિશાળ હોય એવું આપણે જોતા હોઈએ છીએ. સત્યમુની એ આગળ લખ્યું છે તેમ ઓટલો, હીંચકો, બેઠક, ફળિયું, તુલસી ક્યારો, પાણીયારું, ગોખલા, ટોડલા, પડશાળ, છજાં, ઢાળિયું, કોઠી અને ગમાણ – આ બધું ઘર ને સગવડ તો આપે જ છે પણ સાથે સાથે ઘર માં રહેનાર ને અદભુત અનુભૂતિ નો સ્પર્શ પણ કરાવે છે. માણસ ને ઘણી વાર એવું પણ થાય છે કે જે ઘર મેં તે રહ્યો હોય તે ઘરો એની સ્મૃતિ માં બંધાઈ જતાં હોય છે. મારા મિત્ર અને લેખક શ્રી વીનેશ અંતાણી લખે છે તેમ, વર્તમાનમાં પણ એ જે છૂટી ગયા છે એવા ઘરો માં જીવતા હોય છે. માણસ માટે ઘર ની છાપ એટલે પોતાના દાદા-પરદાદા ના ઘર માં રહ્યા હોય છે એજ કાયમ માટે ઘર ની વ્યાખ્યા માં બંધ બેસતું હોય છે. જ્યાં મહેમાનો ની આવન જાવન રહેતી હોય, જ્યાં નિયમિત રીતે “બેસવા” આવતા લોકો થી બેઠક ભરી હોય અને એ પણ કોઈ કામ કે સ્વાર્થ ના હોય – તેવા લોકો થી ઘર હર્યું-ભર્યું હોય – આવું હવે કદાચ જોઈ શકાય કે નહીં એ એક પ્રશ્નાર્થ છે.
ઘર માણસ નાં દિલ-દિમાગ પર કેટલું છવાઈ જાય છે એની એક ઘટના બાંકડે બેસતા એક વડીલે વર્ણવી. ઉમરલાયક એવા એક સજ્જન શહેર માં તેના પુત્ર સાથે રહેતા હતા પણ એનું દિલ બાજુ ના ગામડા માં ના પોતાના ઘર માં રહેતું. અવાર-નવાર એ યાદ કરતા એ ઘર ને અને દિમાગ માં સ્મૃતિઓ નું એક ઘર બની જતું હતું કે જે જલ્દી થી ભુલાતું ન હતું. એ સજ્જન ની તબિયત પણ કંઈ સારી રહેતી ન હતી. એક દિવસ એણે પુત્ર પાસે ગામડા ના ઘરે જવા ની વાત કરી. કોણ જાણે કેમ કે એ ગામડા ના ઘર ની અંતિમ મુલાકાત હતી કે પછી મૃત્યુ નો ભાસ થઇ ગયો હતો. એજ રાત્રે એ વડીલ ગામડા ન એ જુના મકાન માં મૃત્યુ પામ્યા.
એક એવું પણ અવતરણ છે કે જે ઘર વિષે ની બધીજ શક્યતાઓ ને સમાવી લે છે. તમારું ઘર ત્યારેજ તમારું લાગે છે, જ્યાં તમારો પોતીકો એક ખૂણો હોય, એકાંત રૂપ જગ્યા હોય. જ્યાં તમે હો, માત્ર તમે જ. ઘર એટલે અખિલ બ્રહ્માંડ માં મારું વિશ્વ!
હવે મારું ઘર
સદાય ઉઘાડું રહેશે
મારા ઘર ને
કમાડ જ ક્યાં છે?
– ગુલાબ દેઢિયા
– – – – –
– નયનેશ વોરા, લખ્યા તા: ૨૫-ડિસેમ્બર-૨૦૧૧, નાતાલ
સાચી પ્રાર્થના
કાર્યરત રહેવું….
…. એજ પ્રાર્થના છે.
Recent Comments