માણસ અમથે અમથું ફર્યા કરે
એટલેજ કહેવાય છે કે ફરે તે ચરે।
પ્રવાસો ભીતરના અને બહારના એ
ક્યાં પહોંચવું તે હરદમ વિસ્મરે।
શું જોયું ભલું કે જાણ્યું ભલું પૂછે
હરદમ કોઈ નવી દિશા વિસ્તરે।
જિંદગી જ તો છે એક પ્રવાસ માનો
આવ્યા અને જશું જાણે સિતારા ખરે।
મોતી શોધવા દરિયે ડૂબકી મારે
શ્વાસ ખૂટે ને જળસપાટીએ તરે।
– નયનેશ વોરા, લખ્યા તા. 16 એપ્રીલ 2015, ચંડીગઢ
Leave a comment