Monthly Archives: April 2015

પ્રવાસો ભીતરના..

માણસ અમથે અમથું ફર્યા કરે
એટલેજ કહેવાય છે કે ફરે તે ચરે।

પ્રવાસો ભીતરના અને બહારના એ
ક્યાં પહોંચવું તે હરદમ વિસ્મરે।

શું જોયું ભલું કે જાણ્યું ભલું પૂછે
હરદમ કોઈ નવી દિશા વિસ્તરે।

જિંદગી જ તો છે એક પ્રવાસ માનો
આવ્યા અને જશું જાણે સિતારા ખરે।

મોતી શોધવા દરિયે ડૂબકી મારે
શ્વાસ ખૂટે ને જળસપાટીએ તરે।

– નયનેશ વોરા, લખ્યા તા. 16 એપ્રીલ 2015, ચંડીગઢ